પરંતુ (૧) ગ્રાહકની વીજકર રાહત/માફીની અરજીને ધ્યાને લઇને ચકાસણી કર્યા બાદ,સંપૂર્ણ વિગતો મળે,ખાતાના વડાની મંજૂરી બાદ વીજકર રાહત ને વીજકર માફીના પ્રમાણપત્રો મંજૂર કરી આપવામાં આવે છે.
- અરજી કરવા માટેની પાત્રતા મુંબઇ વિદ્યુત શુલ્ક અધિનિયમ-૧૯૫૮ ની કલમ ૩ (ર) હેઠળના વીજ વપરાશ કારો તથા કલમ ૩ (૩) હેઠળના જાહેરનામા અંતર્ગતના વીજવપરાશ કારો.
- સદરહુ ગ્રાહકે સંબંધિત નિયત નમૂના માં અરજી સહિ-સિકકા સાથે લેટર પેડ પર અરજી કરવાનો રહે છે.
- અરજી કરવા માટેની સંપર્ક માહિતી : વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી બ્લોકનં.૧૮, ૭મો માળ, સેકટર-૧૧, ઉધોગ ભવન. ગાંધીનગર.
- અરજી ફી - વિના મૂલ્ય
- અરજી ફોર્મ- વીજકર માફી માટે નિયત નમૂના મુજબના અરજી પત્રકમાં અરજી કરવાની રહે છે. અને સહિ-સિકકા સહિત જરૂરી બિડાણો રજૂ કરવાના રહે છે. અને વીજકર રાહત દર માટે લેટર પેડ પર વીજબીલ ની ઝેરોક્ષ નકલ સહિતી સહિ.સિકકા કરી અરજી કરવાની રહે છે.
- બિડાણો/દસ્તાવેજો ની યાદી અરજી પત્રક માં જણાવેલ છે તે મુજબના તમામ સી.એ.સર્ટિ, મશીનરી પત્રક સોગંદનામુ
- બિડાણ/દસ્તાવેજોના નમૂના
- સી.એ.સર્ટિ
- મશીનરી પત્રક અને
- સોગંદનામું
- અરજી કરવાની પધ્ધતિ
જરૂરી વિગતવાર નિયત નમૂનામાં અરજી પત્રક માં સહિ-સિકકા સાથે બિડાણો સહિત અરજી કરવાની રહે છે.
- અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા :-
- અરજીની સંદર્ભમાં જરૂરી નોંધણી કરી, ફાઇલ બનાવી ચકાસણી કરી દિન-૩૦ માં જવાબ આપવાનો રહે છે. અને ખૂટતી જરૂરી વિગતો બાબતે એકમ તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી (પુરવઠેદાર) જરૂરી વિગતો મંગાવવાની રહે છે. તેમજ અરજી ની વિગતો જોતાં યોગ્ય નિર્ણય લેવાનો રહે તે મુજબની કાર્યવાહી ની જાણ એકમને કરવાની રહે છે.
- પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય એકમનો સંપૂર્ણ જવાબ વિગતવાર દસ્તાવેજી આધારો સહિત મળ્યાબાદ દિન-૩૦ માં કાર્યવાહી કરી,ખાતાના વડાની મંજૂરી મેળવી પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- પ્રમાણપત્રનો કાયદેસર નો સમયગાળો - પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબ.
- નવી કરણ માટેની પ્રક્રિયા (જો હોય તો ) લાગુ પડતું નથી.